Wednesday 24 June 2015

ગૌસેવા બોર્ડના અધ્યક્ષ ડો. કથીરિયાની રાહબારી હેઠળ દેશનાં નામાંકીત ગૌતજજ્ઞોનુ ડેલીગેશન ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારીત કૃષિના અભ્યાસ અર્થે પંજાબ અને હરિયાણા જવા રવાના


ડેલીગેશનમાં દેશનાં નામાંકીત ગૌવૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, એનીમલ વેલફેર બોર્ડના સભ્યો, અન્ય રાજ્યોના ગૌસેવાના ભુતપૂર્વ અધ્યક્ષો, વિષય નિષ્ણાતો, અને ગૌપ્રેમીઓનો સમાવેશ

દેશમાં ગૌ ક્રાંતિની લહેર ઉઠી છે તે સંદર્ભે ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાની રાહબારી હેઠળ આખા દેશમાંથી નામાંકીત ગૌ તજજ્ઞોનુ એક ડેલીગેશન તા. ૨૨ થી ૨૬ જુન દરમ્યાન ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારીત કૃષિ જેવા વિષયોના અભ્યાસ અર્થે પંજાબ અને હરિયાણા રાજ્યની મુલાકાતે જવા રવાના થયેલ છે.

આ અંગે વધુ વિગત આપતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતુ કે, આજના સમયની કડવી વાસ્તવીકતા એછે કે યુવા પેઢી ગૌસંવર્ધન, ગૌપાલન અને ગૌ આધારીત કૃષિ જેવા વ્યવસાયોથી દૂર થઇ રહી છે. જો યુવા ખેડુતો અને મહીલા મંડળોને આ તરફ વાળવા હશે તો, આર્થીક રીતે નભી શકે અને સ્થીરતા આપે તેવું વૈજ્ઞાનિક તેમજ ઓછી ખર્ચાળ તકનીક વાળું માળખુ પુરૂ પાડવાની તાતી જરૂર છે. આમ કરવાથી ગૌસંવર્ધન, ગૌપાલન અને ગૌ આધારીત કૃષિ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ યુવા સાહસીકો બાહર લાવી શકાશે.


આ સંદર્ભે પંજાબ તથા હરિયાણાની સંશોધન સંસ્થાઓના આમંત્રણથી એક સ્ટડી ટુર (અભ્યાસ પ્રવાસ) આયોજનના ભાગ રૂપે દેશભરમાંથી નામાંકીત ગૌ તજજ્ઞોનુ એક ડેલીગેશન આ રાજ્યોની મુલાકાતે જવા રવાના થયેલ છે. જેમાં દેશનાં નામાંકીત ગૌવૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, એનીમલ વેલફેર બોર્ડના સભ્યો, અન્ય રાજ્યોના ગૌસેવાના ભુતપૂર્વ અધ્યક્ષો, વિષય નિષ્ણાતો, અને ગૌપ્રેમીઓ, ડો. કથીરિયાની રાહબારી હેઠળ આ પ્રવાસમાં જોડાયેલ છે. આ ડેલીગેશન સાંપ્રત સમસ્યાના ઉકેલ અર્થે સંશોધન અને વિકાસ બાબત ચર્ચા-વિચારણા કરશે. આ સંદર્ભે ડેલીગેશન પંજાબ તથા હરિયાણાના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રીઓ, મીલીટ્રી ફાર્મના સર્વોચ્ચ નિયામક, દિવ્યજ્યોતી જાર્ગુતી સંસ્થાનના સ્વામી શ્રી ચીન્મય આનંદજી, નેશનલ ડેરી રીસર્ચ ઇન્સટીટ્યુટ - કર્નાલના નિયામક વગેરે લોકોને મળીને  વિષય અનુરૂપ વિચાર-વિમર્શ કરશે.


Sunday 21 June 2015

વિશ્વ યોગ દિન નિમીતે અમરેલી જીલ્લા ખાતે ગુજરાત સરકાર તરફથી યોગાભ્યાસનું સુકાન સંભાળતા ગૌસેવા બોર્ડના અધ્યક્ષ ડો. કથીરિયા.


ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ યોગ દિન નીમીતે સમગ્ર રાજ્યમાં વિશ્વવિક્રમ સ્થાપવા દરેક જિલ્લા મથકોએ યોગ શિબીર અને યોગાભ્યાસનું આયોજન કરવામાં આવેલ. આ આયોજનના ભાગ રૂપે અમરેલી જીલ્લામાં સરકાર વતી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને નીયુક્ત કરવામાં આવેલ.

કાર્યક્રમમાં ઉપસ્થીત નગરજનોને સંબોધતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતું કે, “ભારતીય સાંસ્કૃતીના પૂરસ્કર્તા પરમ આદર્ણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગવિદ્યાનું સમગ્ર વિશ્વને પૂન: સ્મરણ કરાવી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે પ્રસ્થાપિત કરાવા બદલ ગુજરાતના પનોતા પુત્રને લાખ લાખ અભિનંદન.

શારિરીક, માનસિક, આધ્યાત્મીક સુખ, શાંતી અને સ્વસ્થતા માટે યોગવિદ્યા સર્વકાલિન, સર્વભૌમિક, સર્વદેશીય, સર્વક્ષેત્રીય અને સર્વલૌકિક હોય, સમગ્ર વિશ્વને એકતા, વિશ્વ બંધુતા, સામાજીક સમરસતા અને વિશ્વ શાંતી અર્થે જોડનારી સાધના છે.

યોગવિદ્યા માનવમાત્રમાં ઉર્જાનો સંચાર કરે છે. તન-મનનો તનાવ દુર કરનારી છે. એકાગ્રતા દ્વારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપનારી છે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધનારી છે. ચાલો આપણે સૌ આજથી જ યોગવિ્દ્યાને આપણી દિનચર્યા અને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવી સ્વસ્થ નાગરીક, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણમાં સહભાગી બનીએ.”

આ કાર્યક્રમમાં અમરેલી સાંસદ મનજીભાઇ કાછડીયા, પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઇ બાધાણી, ગાંધિનગરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના સી.ઇ.ઓ. શ્રીમતી અંજુ શર્મા, ધારાસભ્યશ્રીઓ, કલેકટર, ડી.ડી.ઓ., ડી.એસ.પી, ડી.આર.ડી.ઓ ડાયરેકટર, તેમજ ભાજપા, સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, વિ.એચ.પી, વિદ્યાભારતી, પતાંજલી યોગ પીઠ, ના હોદેદારો, કાર્યકરો, વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, યુ્વાનો અને શહેરીજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થીત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 


Wednesday 17 June 2015

Hon. Chief Minister Smt. Anadiben felicitated with ‘Love for Cow’ memento


Swami Swayambhagwandas Sadhu and Riddhesh Jagirdar of Hyderabad based Prani Kalyan Mandal are on a special visit to Gauseva and Gauchar Vikas Board (GGVB) –Gujarat on Wednesday. During their visit, they along with GGVB Chairman, Dr. Vallabhbhai Kathiria and Vice-Chairman, Acharya Chaitanya Shambhu Maharaj meet Hon. Chief Minister of Gujarat Smt. Anandiben Patel.

Swami Swayambhagwandas Sadhu congratulated Gujarat CM and her team for considering subjects like Environment, Cows etc. in syllabus of Gujarat School Textbooks. They Congratulated the State Government for their concern about cattle.

In this regards, they felicitated Hon. Chief Minister Smt. Anandiben with a special memento called ‘Love for Cow’ at the Chief Minister’s office in Gandhinagar on Wednesday.


Sunday 14 June 2015

મુંબઈના કેશવ સૃષ્ટી મુકામે ભાજપા સાંસદોના પી.એ. – પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજના’ અંતર્ગત યોજાયેલ કાર્યશાળામાં આદર્શ ગામમાં ગૌસેવાના યોગદાન વિશે માર્ગદર્શન આપતા ડો. કથીરિયા



મુંબઈના કેશવ સૃષ્ટી મુકામે ભાજપા સાંસદોના પી.એ. – પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજના’ અંતર્ગત યોજાયેલ કાર્યશાળામાં આદર્શ ગામમાં ગૌસેવાના યોગદાન વિશે માર્ગદર્શન આપતા ડો. કથીરિયા

તાજેતરમાં મુંબઈના થાણે ભાયંદર ખાતે કેશવ સૃષ્ટીના શ્રી.રામભાઉ માહલગી પ્રબોધિની સંસ્થા દ્વારા ભાજપના સાંસદોના પી.એ.-પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંતર્ગત ત્રીદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા વક્તા તરીકે ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને આમંત્રણ આપવામા આવેલ હતુ.

આ અંગે વિગત આપતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતુ કે, ભારતના ૧૭ રાજ્યોમાંથી ૭૦ જેટલા સાંસદોના અંગત મદ્દદનિશો આ ત્રીદિવસીય કાર્યશાળામાં ઉપસ્થીત રહ્યા હતા. કાર્યશાળાનો મુખ્ય વિષય ભારત સરકારની ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંગે તેમને માહીતગાર કરી, આ યોજના સંદર્ભે તેમને પ્રશિક્ષણ આપવાનો હતો.

ડો. કથીરિયાએ તેમના વક્તવ્યમાં સાંસદો તેમના વિસ્તારમાં જે આદર્શ ગામને રસ્તા, ગટર, પાણી વગેરે સુવિધાયુક્ત બનાવે છે, તેમ દરેક ગામમાં, ઘરે ઘરે ગાય, ગામે ગામ ગૌચર નિર્માણ, ગૌશાળા, પંચગવ્ય મહિલા મંડળીઓ, પંચગવ્ય ઉત્પાદનો, ગૌ આધારીત સજીવ ખેતી વગેરે ગૌ સંલગ્ન વિષયોને ગામના વિકાસ સાથે જોડવા સુંદર પીપીટી પ્રેન્ટેશન રજુ કર્યું હતુ. ગૌપાલન, ગૌસંવર્ધન, ગૌઆધારીત – સુખી, સમૃધ્ધ, સ્વસ્થ, સુરક્ષીત, શિક્ષીત, સ્વાવલંબી, સ્વાભિમાની, સમરસ અને સંસ્કારી સમાજ રચનાના પંડિત દીનદયાલજીના એકાત્મ માનવવાદના મોડેલ અનુસાર વ્યક્તિથી સમષ્ટિ અને છેક દરેક પરેષ્ટિ સુધિના વિષ્વકલ્યાણની વિભાવના સાકાર કઇ રીતે કરી શકાય, તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન ઉદાહરણ દ્વારા ડો. કથીરિયાએ આપ્યું હતું.


કાર્યશાળા બાદ પોતાના પ્રતીભાવ આપતા સહભાગીઓએ જણાવ્યુ હતુકે, તેમના માટે આ એક ખુબજ પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો, જે ગ્રામ વિકાસની રૂઢિગત પ્રણાલીથી એક્દમ અલગ અને નાવિન્યસભર લાગ્યો. તેઓએ ખાત્રી આપીકે તેઓ જ્યારે  ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંગે ચર્ચા થશે ત્યારે ગૌ આધારીત સમગ્ર વિકાસના મોડલ અંગે તેમના પદાધિકારીઓ અને અધિકારીઓને સમજાવી, આદર્શ ગામમાં અને તેમના મત ક્ષેત્રમાં ભારતીય ગૌવંશને પ્રથમ અગ્રતા અપાય તે અંગે તેઓ પ્રયત્ન કરશે.