Saturday 19 December 2015

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના યજમાન પદે આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિશેષ ‘પંચગવ્ય ચીકિત્સા સત્ર’ નું આયોજન

રાજકોટ: આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના નેજા હેઠળ ‘IPSCON 2015’ આંતરરાષ્ટ્રીય પરિષદ અને પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક સત્ર દરમ્યાન દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે પંચગવ્ય ચિકિત્સા વિષે માર્ગદર્શન આપશે.

આ અંગે વધુ વિગત આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે પંચગવ્ય ચિકિત્સા ભારતની પુરાતન સારવાર પધ્ધતિ છે. પંચગવ્ય ચિકિત્સા સરળ, ઓછા ખર્ચવાળી, અક્સીર અને અસાધ્ય રોગો માટે શ્રેષ્ઠ સાબિત થઇ છે. ગાયના ઘી, દુધ, દહી, ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ મેડીસીન અનેક હઠીલા રોગોમાં અસરકારક પૂરવાર થયો છે. વર્તમાન ’હોલીસ્ટીક થેરાપી’ ના સમયમાં બધીજ થેરાપીના સારા ગુણો લઇ શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ વિકસીત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ. ના ફાર્માસ્યુટીકલ સાયન્સ વિભાગના યજમાન પદે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા ની વિનંતીને માન આપી સૌ પ્રથમવાર “પંચગવ્ય ચિકીત્સા” ને પૂર્ણ એક સત્ર આપવામાં આવ્યુ છે. હવે આપણા આધુનિક વિજ્ઞાને તેને પ્રમાણિત પણ કર્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં નામાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો આ વિષય પર ઘણુજ સંશોધન કરી રહ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય પરિષદના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને આ તજજ્ઞોના જ્ઞાનનો લાભ મળવાનો છે, જે આપણા માટે એક આનંદ અને ગર્વની બાબત છે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય વક્તાઓમાં ડો. અશોક વૈદ્ય, કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇ ના ડાયરેક્ટર, ડો. હિતેષ જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પંચકર્મ વિભાગના હેડ, ડો. હેમંત કુમાર પતાંજલી નેચરલ કોલોરા પ્રા. લી - હરિદ્વારમાં રીસર્ચ અને ડેવલપમેન્ટના સી.ઇ.ઓ, ડો. છાયા ગોડસે કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇમાં વૈજ્ઞાનિક તથા ડો. નિશા પરમાર આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પ્રોફેસર, ઉપરાંત અન્ય તજજ્ઞોના સંશોધન પેપર્સ આ કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવશે.

પેપર પ્રેઝન્ટેશન ઉપરાંત પંચગવ્ય આધારિત અન્ય સંશોધન પત્રોનુ ”પોસ્ટર પ્રેઝન્ટેશન” પણ કરવામાં આવશે. કોન્ફરન્સ સ્થળે પંચગવ્ય થેરાપીના અન્ય સંશોધનોના અર્ક, પોસ્ટાર્સ દ્વારા જાહેર જનતાના લાભાર્થે મુકવામાં આવશે.


આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં તા. ૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ‘ગવ્ય ચીકિત્સા’ પર પરીસંવાદ યોજાશે, જેમાં મુખ્ય મેહમાન અને વક્તા તરીકે ડો. વલ્લભભાઇ કથીરિયા પ્રવચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ફાર્મસી ભવનના વડા ડો. મિહિર રાવલ, પરિષદના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. સચિન પરમાર, તથા બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ ડો. જયંત ચાવડા , તેમજ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના મેમ્બર સેક્રેટરી ડો. કે. વિ. પટેલના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

Monday 14 December 2015

હરીદ્વારના પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજને ગૌસેવાની વિવિધ યોજના અને ગૌજાગૃતિ અંગે વિસતૃત છણાવટ કરતા ડો. કથીરિયા

હરીદ્વારના પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજને ગૌસેવાની વિવિધ યોજના અને ગૌજાગૃતિ અંગે વિસતૃત છણાવટ કરતા ડો. કથીરિયા


તાજેતરમાં હરીદ્વાર સ્થીત પ્રભુ પ્રેમી સંઘના સ્થાપક પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજ રાજકોટના આર્ષવિદ્યામંદિરની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેઓ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા સાથે ગૌસેવા, ગૌરક્ષા, ગૌપાલન અને ગૌસંવર્ધન જેવા વિષયો પર સવિસ્તાર ચર્ચા કરી હતી. ડો. કથીરિયા દ્વારા ગુજરાત ગૌસેવા આયોગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સમાજમાં ગૌજાગૃતિ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓથી સ્વામી અવધેશાનંદજીને અવગત કરવામાં આવેલ હતા. સ્વામીજીના કનખલ, હરીદ્વાર સ્થીત આશ્રમ ખાતે ગૌશાળા ચલાવામાં આવે છે. તેઓ દેશી ગૌવંશના સંવર્ધન માટે ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા આયોગના માધ્યમથી જે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે, તેનાથી અત્યંત પ્રભાવીત થયા હતા અને ડો. કથીરિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમની સાથે ચર્ચામાં આર્ષવિદ્યામંદિરના પ.પુ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અને પુ. સ્વામીની ધન્યાનંદજી પણ જોડાયા હતા.


પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના યજમાન પદે આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિશેષ ‘પંચગવ્ય ચીકિત્સા સત્ર’ નું આયોજન

રાજકોટ: આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના નેજા હેઠળ ‘IPSCON 2015’ આંતરરાષ્ટ્રીય પરિષદ અને પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક સત્ર દરમ્યાન દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે પંચગવ્ય ચિકિત્સા વિષે માર્ગદર્શન આપશે.

આ અંગે વધુ વિગત આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે પંચગવ્ય ચિકિત્સા ભારતની પુરાતન સારવાર પધ્ધતિ છે. પંચગવ્ય ચિકિત્સા સરળ, ઓછા ખર્ચવાળી, અક્સીર અને અસાધ્ય રોગો માટે શ્રેષ્ઠ સાબિત થઇ છે. ગાયના ઘી, દુધ, દહી, ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ મેડીસીન અનેક હઠીલા રોગોમાં અસરકારક પૂરવાર થયો છે. વર્તમાન ’હોલીસ્ટીક થેરાપી’ ના સમયમાં બધીજ થેરાપીના સારા ગુણો લઇ શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ વિકસીત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ. ના ફાર્માસ્યુટીકલ સાયન્સ વિભાગના યજમાન પદે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા ની વિનંતીને માન આપી સૌ પ્રથમવાર “પંચગવ્ય ચિકીત્સા” ને પૂર્ણ એક સત્ર આપવામાં આવ્યુ છે. હવે આપણા આધુનિક વિજ્ઞાને તેને પ્રમાણિત પણ કર્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં નામાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો આ વિષય પર ઘણુજ સંશોધન કરી રહ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય પરિષદના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને આ તજજ્ઞોના જ્ઞાનનો લાભ મળવાનો છે, જે આપણા માટે એક આનંદ અને ગર્વની બાબત છે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય વક્તાઓમાં ડો. અશોક વૈદ્ય, કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇ ના ડાયરેક્ટર, ડો. હિતેષ જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પંચકર્મ વિભાગના હેડ, ડો. હેમંત કુમાર પતાંજલી નેચરલ કોલોરા પ્રા. લી - હરિદ્વારમાં રીસર્ચ અને ડેવલપમેન્ટના સી.ઇ.ઓ, ડો. છાયા ગોડસે કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇમાં વૈજ્ઞાનિક તથા ડો. નિશા પરમાર આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પ્રોફેસર, ઉપરાંત અન્ય તજજ્ઞોના સંશોધન પેપર્સ આ કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવશે.

પેપર પ્રેઝન્ટેશન ઉપરાંત પંચગવ્ય આધારિત અન્ય સંશોધન પત્રોનુ ”પોસ્ટર પ્રેઝન્ટેશન” પણ કરવામાં આવશે. કોન્ફરન્સ સ્થળે પંચગવ્ય થેરાપીના અન્ય સંશોધનોના અર્ક, પોસ્ટાર્સ દ્વારા જાહેર જનતાના લાભાર્થે મુકવામાં આવશે.


આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં તા. ૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ‘ગવ્ય ચીકિત્સા’ પર પરીસંવાદ યોજાશે, જેમાં મુખ્ય મેહમાન અને વક્તા તરીકે ડો. વલ્લભભાઇ કથીરિયા પ્રવચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ફાર્મસી ભવનના વડા ડો. મિહિર રાવલ, પરિષદના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. સચિન પરમાર, તથા બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ ડો. જયંત ચાવડા , તેમજ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના મેમ્બર સેક્રેટરી ડો. કે. વિ. પટેલના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.