Saturday 19 December 2015

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના યજમાન પદે આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિશેષ ‘પંચગવ્ય ચીકિત્સા સત્ર’ નું આયોજન

રાજકોટ: આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના નેજા હેઠળ ‘IPSCON 2015’ આંતરરાષ્ટ્રીય પરિષદ અને પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક સત્ર દરમ્યાન દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે પંચગવ્ય ચિકિત્સા વિષે માર્ગદર્શન આપશે.

આ અંગે વધુ વિગત આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે પંચગવ્ય ચિકિત્સા ભારતની પુરાતન સારવાર પધ્ધતિ છે. પંચગવ્ય ચિકિત્સા સરળ, ઓછા ખર્ચવાળી, અક્સીર અને અસાધ્ય રોગો માટે શ્રેષ્ઠ સાબિત થઇ છે. ગાયના ઘી, દુધ, દહી, ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ મેડીસીન અનેક હઠીલા રોગોમાં અસરકારક પૂરવાર થયો છે. વર્તમાન ’હોલીસ્ટીક થેરાપી’ ના સમયમાં બધીજ થેરાપીના સારા ગુણો લઇ શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ વિકસીત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ. ના ફાર્માસ્યુટીકલ સાયન્સ વિભાગના યજમાન પદે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા ની વિનંતીને માન આપી સૌ પ્રથમવાર “પંચગવ્ય ચિકીત્સા” ને પૂર્ણ એક સત્ર આપવામાં આવ્યુ છે. હવે આપણા આધુનિક વિજ્ઞાને તેને પ્રમાણિત પણ કર્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં નામાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો આ વિષય પર ઘણુજ સંશોધન કરી રહ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય પરિષદના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને આ તજજ્ઞોના જ્ઞાનનો લાભ મળવાનો છે, જે આપણા માટે એક આનંદ અને ગર્વની બાબત છે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય વક્તાઓમાં ડો. અશોક વૈદ્ય, કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇ ના ડાયરેક્ટર, ડો. હિતેષ જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પંચકર્મ વિભાગના હેડ, ડો. હેમંત કુમાર પતાંજલી નેચરલ કોલોરા પ્રા. લી - હરિદ્વારમાં રીસર્ચ અને ડેવલપમેન્ટના સી.ઇ.ઓ, ડો. છાયા ગોડસે કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇમાં વૈજ્ઞાનિક તથા ડો. નિશા પરમાર આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પ્રોફેસર, ઉપરાંત અન્ય તજજ્ઞોના સંશોધન પેપર્સ આ કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવશે.

પેપર પ્રેઝન્ટેશન ઉપરાંત પંચગવ્ય આધારિત અન્ય સંશોધન પત્રોનુ ”પોસ્ટર પ્રેઝન્ટેશન” પણ કરવામાં આવશે. કોન્ફરન્સ સ્થળે પંચગવ્ય થેરાપીના અન્ય સંશોધનોના અર્ક, પોસ્ટાર્સ દ્વારા જાહેર જનતાના લાભાર્થે મુકવામાં આવશે.


આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં તા. ૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ‘ગવ્ય ચીકિત્સા’ પર પરીસંવાદ યોજાશે, જેમાં મુખ્ય મેહમાન અને વક્તા તરીકે ડો. વલ્લભભાઇ કથીરિયા પ્રવચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ફાર્મસી ભવનના વડા ડો. મિહિર રાવલ, પરિષદના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. સચિન પરમાર, તથા બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ ડો. જયંત ચાવડા , તેમજ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના મેમ્બર સેક્રેટરી ડો. કે. વિ. પટેલના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

Monday 14 December 2015

હરીદ્વારના પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજને ગૌસેવાની વિવિધ યોજના અને ગૌજાગૃતિ અંગે વિસતૃત છણાવટ કરતા ડો. કથીરિયા

હરીદ્વારના પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજને ગૌસેવાની વિવિધ યોજના અને ગૌજાગૃતિ અંગે વિસતૃત છણાવટ કરતા ડો. કથીરિયા


તાજેતરમાં હરીદ્વાર સ્થીત પ્રભુ પ્રેમી સંઘના સ્થાપક પ.પુ.સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજ રાજકોટના આર્ષવિદ્યામંદિરની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેઓ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા સાથે ગૌસેવા, ગૌરક્ષા, ગૌપાલન અને ગૌસંવર્ધન જેવા વિષયો પર સવિસ્તાર ચર્ચા કરી હતી. ડો. કથીરિયા દ્વારા ગુજરાત ગૌસેવા આયોગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સમાજમાં ગૌજાગૃતિ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓથી સ્વામી અવધેશાનંદજીને અવગત કરવામાં આવેલ હતા. સ્વામીજીના કનખલ, હરીદ્વાર સ્થીત આશ્રમ ખાતે ગૌશાળા ચલાવામાં આવે છે. તેઓ દેશી ગૌવંશના સંવર્ધન માટે ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા આયોગના માધ્યમથી જે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે, તેનાથી અત્યંત પ્રભાવીત થયા હતા અને ડો. કથીરિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમની સાથે ચર્ચામાં આર્ષવિદ્યામંદિરના પ.પુ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અને પુ. સ્વામીની ધન્યાનંદજી પણ જોડાયા હતા.


પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

પંચગવ્ય વિષે યોજાનાર પરીસંવાદમાં દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે માર્ગદર્શન આપશે – ડો. વલ્લભભાઇ કથીરિયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના યજમાન પદે આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિશેષ ‘પંચગવ્ય ચીકિત્સા સત્ર’ નું આયોજન

રાજકોટ: આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના નેજા હેઠળ ‘IPSCON 2015’ આંતરરાષ્ટ્રીય પરિષદ અને પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક સત્ર દરમ્યાન દેશના નાંમાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો રાજકોટ ખાતે પંચગવ્ય ચિકિત્સા વિષે માર્ગદર્શન આપશે.

આ અંગે વધુ વિગત આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે પંચગવ્ય ચિકિત્સા ભારતની પુરાતન સારવાર પધ્ધતિ છે. પંચગવ્ય ચિકિત્સા સરળ, ઓછા ખર્ચવાળી, અક્સીર અને અસાધ્ય રોગો માટે શ્રેષ્ઠ સાબિત થઇ છે. ગાયના ઘી, દુધ, દહી, ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ મેડીસીન અનેક હઠીલા રોગોમાં અસરકારક પૂરવાર થયો છે. વર્તમાન ’હોલીસ્ટીક થેરાપી’ ના સમયમાં બધીજ થેરાપીના સારા ગુણો લઇ શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ વિકસીત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ. ના ફાર્માસ્યુટીકલ સાયન્સ વિભાગના યજમાન પદે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા ની વિનંતીને માન આપી સૌ પ્રથમવાર “પંચગવ્ય ચિકીત્સા” ને પૂર્ણ એક સત્ર આપવામાં આવ્યુ છે. હવે આપણા આધુનિક વિજ્ઞાને તેને પ્રમાણિત પણ કર્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં નામાંકિત ગૌતજજ્ઞો અને ગૌવિજ્ઞાનીકો આ વિષય પર ઘણુજ સંશોધન કરી રહ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય પરિષદના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને આ તજજ્ઞોના જ્ઞાનનો લાભ મળવાનો છે, જે આપણા માટે એક આનંદ અને ગર્વની બાબત છે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય વક્તાઓમાં ડો. અશોક વૈદ્ય, કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇ ના ડાયરેક્ટર, ડો. હિતેષ જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પંચકર્મ વિભાગના હેડ, ડો. હેમંત કુમાર પતાંજલી નેચરલ કોલોરા પ્રા. લી - હરિદ્વારમાં રીસર્ચ અને ડેવલપમેન્ટના સી.ઇ.ઓ, ડો. છાયા ગોડસે કસ્તુરબા હેલ્થ સોસાયટી એન્ડ મેડિકલ રીસર્ચ-મુંબઇમાં વૈજ્ઞાનિક તથા ડો. નિશા પરમાર આયુર્વેદ યુનિવર્સિટી –જામનગરના પ્રોફેસર, ઉપરાંત અન્ય તજજ્ઞોના સંશોધન પેપર્સ આ કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવશે.

પેપર પ્રેઝન્ટેશન ઉપરાંત પંચગવ્ય આધારિત અન્ય સંશોધન પત્રોનુ ”પોસ્ટર પ્રેઝન્ટેશન” પણ કરવામાં આવશે. કોન્ફરન્સ સ્થળે પંચગવ્ય થેરાપીના અન્ય સંશોધનોના અર્ક, પોસ્ટાર્સ દ્વારા જાહેર જનતાના લાભાર્થે મુકવામાં આવશે.


આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં તા. ૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ‘ગવ્ય ચીકિત્સા’ પર પરીસંવાદ યોજાશે, જેમાં મુખ્ય મેહમાન અને વક્તા તરીકે ડો. વલ્લભભાઇ કથીરિયા પ્રવચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ફાર્મસી ભવનના વડા ડો. મિહિર રાવલ, પરિષદના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. સચિન પરમાર, તથા બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ ડો. જયંત ચાવડા , તેમજ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ – ગુજરાતના મેમ્બર સેક્રેટરી ડો. કે. વિ. પટેલના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

Friday 9 October 2015

ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન અપાયુ


ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન અપાયુ

છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય- દુર્ગ દ્વારા તાજેતરમાં ‘છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન: સંભાવનાઓ અને પડકારો’ વિષય પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનુ આયોજન રાયપુર ખાતે થયું હતુ, જેમા છત્ત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી રમણ સિંહ, કૃષી મંત્રી શ્રી બ્રુજમોહન અગ્રવાલ સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહયા હતા, જેમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન આપવામા આવેલ.


આ કાર્યશાળાની ફળશ્રુતી રૂપે કાર્યશાળાના અંતમાં ડો. કથીરિયા તેમજ તમામ ગૌવૈજ્ઞાનીકોની બેઠકમા એકશન પ્લાન બનાવામાં આવેલ જેમા છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌસંવર્ધન અને ગૌરક્ષાને સાચી દિશા મળે અને ગુજરાતની માફક ગૌસંવર્ધન માટે રાજ્ય સરકાર, સ્વૈચ્છીક સંસ્થાઓ, યુનિવર્સીટીઓ, પાંજરાપોળો, ગૌશાળાઓ, ગૌપ્રેમીઓ, ગૌપાલકો, અને ગૌસંવર્ધકો સાથે મળી દેશી ગૌવંશના સંવર્ધન માટે ખભે ખભો મીલાવી આગળ વધે તેવો નીર્ધાર કરવામા આવેલ. આગામી દિવસોમા, છત્ત્તીસગઢમાં બુલ મધર ફાર્મ, એ.આઇ. સેન્ટર્સ, પંચગવ્ય ઉત્પાદન ટ્રેનીંગ અને મોડેલ ગૌસંવર્ધન કેન્દ્રો સ્થપાશે.


Tuesday 22 September 2015

છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય આયોજીત રાષ્ટ્રીય કાર્યશાળામાં ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન વિષય પર દેશભરમાંથી આવેલા તજજ્ઞોને ડો. વલ્લભભાઇ કથીરિયા માર્ગદર્શીત કરશે

છત્ત્તીસગઢના મુખ્યમંત્રી, કૃષી મંત્રી સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહેશે

છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય- દુર્ગ દ્વારા ‘છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન: સંભાવનાઓ અને પડકારો’ વિષય પર તા. ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનુ આયોજન રાયપુર ખાતે થયું છે.  આ રાષ્ટ્રીય કાર્યશાળામાં છત્ત્તીસગઢના મુખ્યમંત્રી, કૃષી મંત્રી સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહેશે, જેમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર દેશભરમાંથી આવેલા તજજ્ઞોને માર્ગદર્શીત કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ કાર્યશાળાના આયોજનનો મુખ્ય હેતુ, છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌસંવર્ધન અને ગૌરક્ષાને સાચી દિશા મળે અને ગુજરાત મોડેલની જેમ ગૌસંવર્ધન માટે રાજ્ય સરકાર, સ્વૈચ્છીક સંસ્થાઓ, યુનિવર્સીટીઓ, પાંજરાપોળો, ગૌશાળાઓ, ગૌપ્રેમીઓ, ગૌપાલકો, અને ગૌસંવર્ધકો સાથે મળી દેશી ગૌવંશના સંવર્ધન માટે ખભે ખભો મીલાવી આગળ વધે તેવો છે.


આ માટે વિવિધ ક્ષેત્રના ગૌસેવા સાથે જોડાયેલા તજજ્ઞો, જાણકારો અને અનુભવિઓને ખાસ માર્ગદર્શન આપવા અહિં બોલાવામાં આવ્યા છે. આ કાર્યશાળા છત્ત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણ સિંહ અને કૃષિમંત્રી શ્રી બ્રુજમોહન અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં ત્રણ દિવસ દરમ્યાન, ૧૪ અલગ-અલગ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે.

Tuesday 11 August 2015

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત દ્વારા "ગૌશાળા - પાંજરાપોળ સ્વાવલંબન કાર્યશાળા" નું ગાંધીનગર ખાતે આયોજન


v  ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા 16 ઓગસ્ટે કડી સર્વ વિદ્યાલય, સેક્ટર - 23, ગાંધીનગર મુકામે મહામહીમ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીના વરદ્‌ હસ્તે ઉદ્‌ઘાટન
v  પાંજરાપોળ - ગૌશાળા મેનેજમેન્ટ, ગોપાલન, ગૌ આધારીત કૃષિ, બાયોગેસ, ઇલેક્ટ્રીસીટી, બાયોફર્ટીલાઇઝર અને ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા સ્વાવલંબન જેવા વિષયો પર દેશભરના તજજ્ઞો અને ગોવૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન

    ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના નેજા હેઠળ, શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા - પાંજરાપોળ સંઘ - ગાંધીનગર, સમસ્ત મહાજન - મુંબઇ અને ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક પોલીસી અને સ્ટ્રેટેજીસ - આણંદના સંયુક્ત ઉપક્રમે ગૌશાળા - પાંજરાપોળ વ્યવસ્થાપક મંડળો, ગોપાલકો, માલધારીઓ તેમજ ગૌસેવા, ગોપાલન, ગૌસંવર્ધન અને પંચગવ્ય ઉત્પાદન વગેરેમાં રસ ધરાવતા સૌ માટે એક દિવસીય વર્કશોપનું આયોજન આગામી ૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ રવિવારના રોજ ગાંધીનગરના સેક્ટર - 23, સ્થિત કડી સર્વ વિદ્યાલયના કેમ્પસમાં નાથીબા કોમર્સ કોલેજ - "ખીમજી જેસંગ હોલ"માં કરવામાં આવ્યું છે.

         આ અંગે માહિતી આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લ્ભભાઇ કથીરિયાએ જણાવ્યુ હતુ કે, શ્રેષ્ઠ ગૌપાલન દ્વારા વ્યક્તિ, કુટુંબ, ટ્રસ્ટ - ધર્માદા સંસ્થાઓ સંચાલિત ગૌશાળા - પાંજરાપોળો સ્વનિર્ભર બને, આવકનું સાધન વધે અને આર્થિક ઉન્નત્તિ સાધે તેવા ઉદ્દેશ્યથી ગૌસેવા અ‍ને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિષયોના તજજ્ઞોના વક્તવ્યોનું જુદા જુદા સત્રો સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

                આ સેમીનારનું ઉદ્‌ઘાટન ગુજરાત રાજ્યના વંદનીય રાજ્યપાલ મહામહીમ શ્રી ઓમ પ્રકાશ કોહલીજીના વરદ્‌ હસ્તે ૧૬ ઓગસ્ટના રોજ સવારે :30 કલાકે ગૌપૂજન અને દીપ પ્રાગટ્ય દ્વારા થશે. બાદમાં દેશભરમાંથી આમંત્રિત તજજ્ઞો દ્વારા ગૌશાળા - પાંજરાપોળમાં ટેક્નોલોજીનો ઉપયોગ, શ્રેષ્ઠ પારદર્શક વહીવટ, ગૌશાળાની સ્વચ્છતા, વિવિધ વિભાગો, ગૌસંવર્ધન, ગૌચર વિકાસ, એગ્રો ફોરેસ્ટ્રી, પંચગવ્ય ઉત્પાદન, બાયો પેસ્ટીસાઇડ્સ અને બાયોફર્ટીલાઇઝર, બાયોગેસ, ઇલેક્ટ્રીસીટી વગેરે વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કરશે અને ગૌશાળા - પાંજરાપોળોના પ્રાણપ્રશ્નોની ચર્ચા થશે.

                આ સેમીનારમાં ભારત સરકારના કૃષિ રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ગૃહરાજ્યમંત્રીશ્રી હરિભાઇ ચૌધરી, ગુજરાત રાજ્યના પશુપાલન અને કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, ગૌસંવર્ધન મંત્રીશ્રી તારાચંદભાઇ છેડા, જીલ્લાપંચાયત પ્રમુખ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

                આ સેમીનારને સફળ બનાવવા માટે બોર્ડના અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરિયા, ઉપાધ્યક્ષશ્રી ચૈતન્ય મહારાજ, આચાર્ય ઘનશ્યામજી, શ્રી સત્યજીત ખાચર, શ્રી ગોપાલ સુતરીયા, ડો. કિશોર પટેલ, શ્રી કે. પી. શાસ્ત્રી સ્વામી, શ્રી બી. કે. આહિર, શ્રી જયંતિભાઇ દોશી, ડો. જે.વી. નાડોધા, ડો. એલ. આર. વોરા, શ્રી મનોજ શુક્લ, ડો. બી. કે. પટેલ, ડો. દિનેશ બ્રહ્મભટ્ટ, શ્રી વિનુભાઇ કંટારીયા વગેરે મહાનુભાવો સહિત અધિકારીઓની ટીમ સક્રીય રીતે કાર્યરત છે.


                આ સેમીનારમાં ગૌસેવામાં રસ ધરાવતા અને સ્વનિર્ભર બનવા માગતા સૌ કોઇને ઉપસ્થિત રહેવા અનુરોધ છે. વિશેષ માહિતિ માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વેબ સાઇટ અને ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૩૨૭/૨૮/૨૯ પર સંપર્ક કરી નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Gauseva and Gauchar Vikas Board organising Workshop on Self-reliance of Gaushala & Panjarapol


Under the leadership of Gauseva and Gauchar Vikas Board - Gujarat, Shree Gujarat Rajya Gaushala-Panjarapol Sangh - Gandhinagar, Samast Mahajan Mumbai and Indulal Yagnik Institute of Public Policy and Strategies-Anand are organising one day workshop for Gaushala – Panjrapol administrators, Cow lovers, Maldharies, and interested persons in topics like Gauseva, Indigenous cow breeding, and Panchgavys produce to make them self reliant & self sustainable. The Workshop is held on 16th August 2015, Sunday at `Khimji Jesang Hall’ Nathiba Commerce College ,Kadi Sarva Vidyalaya Campus,  Sector-23 Gandhinagar Gujarat.

The workshop will be inaugurated by Honorable Governor of Gujarat Shree Om Prakash Kohli, by lightening the lamp and Gau Pooja. In this seminar chief guests will be Shri Mohanbhai Kundariya - Union Minister of State for Agriculture, Shri Babubhai Bokhiriya - Agricultural and Animal Husbandry Minister of Gujrat, Shri Tarachanbhai Cheda-Gausavardhan Minister of Gujarat.

According to Chairman of Gauseva and Gauchar Vikas Board – Gujarat, Dr. Vallabhbhai Kathiria, experts from various sectors will deliver lectures on how to make Gaushalas self-reliant through Gaupalan as well as with the use of new technologies, best & transparent administration& management of gaushala, pure breeding of indigenous cows, gauchar development, agro forestry, Panchgavya products, bio-pesticides, bio fertilizers, bio-gas and bio-electricity production .

To make this workshop successful and memorable, along with Dr. Vallabhbhai Kathiria Chairman of Gauseva and Gauchar Vikas Board- Gujarat, Shree Chaitanya Maharaj, Shri Aacharya Ghanshyamji, Shri Gopal Sutariya, Shri Satyajit Khachar , Dr. Kishor Patel, Shri K.P.Shastri Swami, Shri B.K.Aahir, Shri Jayantibhai Doshi, Dr. J.V. Nadhoda, Dr. L.R.Vora, Shri Manoj Sukla, Dr. Dinesh Bramhbhatt, and Shri Vinubhai Kantaria & Gau Seva Team is working hard .


Interested Gausevak,Gopalak  Trustees & Managers of Gaushala- Panjarapoles can register themselves on websites of Gauseva and Gauchar Vikas Board, Gujarat or on GGVB office Phone no. 079-23256327/28/29. The registration is free.

Saturday 8 August 2015

Dr. Kathiria & his team visited flood affected Banaskatha and Patan districts

In recent heavy rains and floods several parts of Gujarat have impacted badly. Banaskantha & Patan districts of the State were terribly affected by the floods. To help, assess and review the loss of livestock and impact of floods, a team lead by the Chairman of Gujarat Gauseva and Gauchar Vikas board, Dr. Vallabh Kathiria has visited the badly affected Sidhhapur, Palanpur, Disa, Diyodar, Tetoda, Bhabhar and Suigam areas of North Gujarat. The team has visited on ground zero to help the people.

Due to this excessive rainfall in North Gujarat, livestock in Panjrapols, Gaushalas and privately owned were suffering the most. A huge number of cattle were drawn and died in the floods. In Tetoda gaushala, sudden rain destroyed everything. In Gaushalas and Panjrapols, due to water accumulation, entire stock of fodder gets wet and ruined. At many places shades, godowns and compound walls were destroyed. Private owners also suffered a huge loss of livestock. Still water is logged everywhere, no vehicles are able to reach many areas.

According to Dr. Kathiria, State Government did commendable relief work primarily. The work of the road repairing, supply of water, electricity restoration and telephone communication restoration work have been done immediately on priority bases. Government machinery also made instant arrangements for food and fodder. Many voluntary organizations and donors have also come forward to lend a helping hand. Relief work has been carrying out on a war footing.

Dr. Kathiria visited all these places along with concerned officers and shown sympathy to all the villagers, gaushala administrations and maldharis and assured all possible help to them. Dr. Kathiria also informed District Collectors, DDOs, Ministers and Secretaries of concerned department about the prevailing situation and suggested proper actions.

During this visit due to submerged roads, Dr. Kathiria travelled on the tractor and in some places he walked on water logged roads to meet the people and review the situation. During this visit Dr. Kathiria was accompanied by District BJP VP Dr. Ganeshbhai Patel, Shri Bhaskar Thakkar, GGV Board officials Dr. K.V.Patel, Dr. Nadogha and Rajkot based Cow lover and patriot Shri Mansukh Chappia in this tour.

Dr. Kathiria has prepared a detailed report about the ground realities and submitted to the State Government. He also appealed in his report to give a relief package to cow breeders, farmers, gaushala and panjrapols of this flood affected area. 


બનાસકાંઠાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ડૉ. કથીરિયા

બનાસકાંઠાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ડૉ. કથીરિયા

તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા - પાટણ વિસ્તારમાં અતિવૃષ્ટિ થતા જાત મુલાકાત લઇ, લોકોને મદદરૂપ થવાના ભાવથી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઇ કથીરિયાએ તેમના અધિકારીઓ અને બનાસકાંઠા ભાજપાના પદા‌ધિકારીઓની સાથે સિધ્ધપુર, પાલનપુર, ડીસા, દીયોદર, ટેટોડા, ભાભર અને સૂઇગામ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અતિવૃષ્ટિ પછી તુરત જ ઉત્તર ગુજરાતમાં ગૌશાળા - પાંજરાપોળો તથા માલિકીના પશુધનને ખૂબ જ હાનિ પહોંચી છે. પૂરમાં અનેક ગાય - ભેંસ સહિતના પશુઓ તણાઇ ગયા છે અને મોતને ભેટ્યા છે. અચાનક અને એકાદ જોરદાર વરસાદના કારણે ટેટોડા ગૌશાળામાં નદીના પૂરના પાણી ફરી વળતા સમગ્ર ગૌશાળા ખેદાન - મેદાન થઇ ગઇ છે. ગૌશાળા - પાંજરાપોળોમાં પાણી ભરાઇ જતા ઘાસચારો બગડી ગયો છે. શેડ, ગોડાઉન, દિવાલો તૂટી જવા પામી છે. પ્રાઇવેટ પશુધનને પણ ખૂબ નુક્શાન થયું છે. હજુ પણ પાણી ભરાયેલા છે. વાહન વ્યવહાર ઠપ છે.

ડૉ. કથીરિયાના જણાવ્યા અનુસાર, સરકારે તુરત રાહતના પગલા લઇ સૌ પ્રથમ રસ્તા રીપેરીંગ, પાણીની સપ્લાઇ, વિજ કનેક્શન અને ફોન ચાલુ કરવાનું કાર્ય યુધ્ધના ધોરણે કર્યું છે. સાથે સૂકો - લીલો ચારો અને ખાણ - દાણ પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી છે. દાતાઓ અને સંસ્થાઓ પણ વ્હારે આવી છે. યુધ્ધના ધોરણે રાહત કામગીરી ચાલી રહી છે.

ડૉ. કથીરિયાએ ઉપરોક્ત સ્થળોની મુલાકાત લઇ ગૌશાળા સંચાલકો, માલધારીઓ, ગ્રામ્યજનોને અધિકારીઓ સાથે રહી હૈયાધારણ આપી, તુરત જ કલેક્ટર, ડીડીઓ, સચિવશ્રીઓ અને માનનીય મંત્રીશ્રીઓ સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી કરાવવા માહિતગાર કર્યા હતા.

આ સમગ્ર પ્રવાસ દરમ્યાન અનેક જગ્યાએ ડૉ. કથીરિયાએ ટ્રેક્ટર પર અને ચાલીને લોકોની મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા ભાજપા ઉપપ્રમુખશ્રી ડૉ. ગણેશભાઇ પટેલ, શ્રી ભાસ્કર ઠાકર તથા બોર્ડના અધિકારીશ્રીઓ ડૉ. કિશોર પટેલ, ડૉ. નાડોધા અને રાજકોટના જીવદયા પ્રેમી પ્રખર રાષ્ટ્રભક્ત શ્રી મનસુખભાઇ છાપીયા જોડાયા હતા.


ડૉ. કથીરિયાએ વિગતવાર અહેવાલ તૈયાર કરી સરકારમાં સુપ્રત કરી ગૌપાલકો, ખેડૂતો, ગૌશાળા - પાંજરાપોળોને વિશેષ રાહત પેકેજ આપવા ભલામણ કરી હતી.


Monday 20 July 2015

ગૌસેવાના ગુજરાત મોડેલને પંજાબ અને હરિયાણા સરકાર સમક્ષ રજુ કરી, તે અપનાવા અનુરોધ કરતા ગુજરાત ગૌસેવા બોર્ડના અધ્યક્ષ ડો. કથીરિયા


ડો. કથીરિયાની રાહબારી હેઠળ દેશનાં નામાંકીત ગૌતજજ્ઞોના ડેલીગેશને ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌઆધારીત કૃષિના અભ્યાસ અર્થે પંજાબ અને હરિયાણાની મુલાકાત લીધી

તાજેતરમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાની રાહબારી હેઠળ આખા દેશમાંથી નામાંકીત ગૌ તજજ્ઞોનુ એક ડેલીગેશન ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારીત કૃષિ જેવા વિષયોના અભ્યાસ માટે પાંચ દિવસની સ્ટડી ટુર અર્થે પંજાબ અને હરિયાણા રાજ્યની મુલાકાત લીધેલ. આ મુલાકાત દરમ્યાન દેશનાં નામાંકીત ગૌવૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, એનીમલ વેલફેર બોર્ડના સભ્યો, અન્ય રાજ્યોના ગૌસેવાના ભુતપૂર્વ અધ્યક્ષો, વિષય નિષ્ણાતો, અને ગૌપ્રેમીઓ આ ડેલીગેશનમાં સામેલ થઇ વિવિધ પ્રશ્ને ચર્ચા-વિચારણા કરેલ. આ અભ્યાસ પ્રવાસ દરમ્યાન ત્રણે રાજ્યો વચ્ચે ખૂબ અગત્યના વિષયો અને માહિતિઓનું આદાન-પ્રદાન કરવામાં આવેલ. આ મુલાકાતના અગત્યના અંશો વીશે અહિં પ્રસ્તુત છે.

નેશનલ ડેરી રીસર્ચ ઇનસ્ટીટ્યુટ – કર્નાલ ના ગૌવૈજ્ઞાનીકો સાથે ચર્ચા
ડો. કથીરિયાના જણાવ્યા અનુસાર, નેશનલ ડેરી રીસર્ચ ઇનસ્ટીટ્યુટ (એન.ડી.આર.આઇ) જે હરીયાણાના કર્નાલ ખાતે સ્થીત છે તેના ગૌવૈજ્ઞાનીકો સાથે બેઠક યોજી તેમને ભારતીય ગૌવંશની ઓલાદ સુધારણા પર સંશોધન કરી કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ગોકુળ મીશન યોજના અંતર્ગત દરેક રાજ્યના માળખાકીય સુવીધાનો ઉપયોગ કરી દરેક રાજયને એન.ડી.આર.આઇના સંશોધનનો લાભ મળે તે અંગે ભલામણ કરી હતી. તેમજ પંજાબ-હરિયાણાની દેશી જાતો જેવીકે, સહીવાલ, હરિયાણી, મેવાતી, થરપાકર વગેરેની ઓલાદ સુધારણા માટે એકશન પ્લાન ઘડવા સુચન કરેલ. તેમજ ફ્ક્ત વિદેશી ટેક્નોલોજી અને મશીનરી ઉપયોગ કરીએ પરંતુ વિદેશથી જર્સી બુલના સીમેનની આયાત પર પ્રતિબંધ લાદવા કહેલ.
તેમને સારી નસ્લના ભારતીય બુલના સેકસડ (ફક્ત ગાયો જ જ્ન્મે તે પ્રકારના) સીમેન ડોઝ તૈયાર કરાવા તેમજ દેશી ગાયની ગુણવતા બાબત પ્રચાર-પ્રસાર કરવા સુચન કરેલ. તેમને પંચગવ્યમાં રહેલા સુવર્ણ, સ્ટ્રોન્સ્યમ, સેલીબ્રોસાઇડ, એન્ટી ઓક્સીડન્ટ, બાયોએનહાન્સર વગેરે તત્વોને ઓળખી તેમને વૈજ્ઞાનિક રીતે પ્રમાણીત કરી ઉપયોગીતામાં આવે તે માટે માર્ગદર્શીત કરેલ.



નેશનલ બ્યુરો ઓફ એનીમલ જીનેટીક રીસોર્સીઝ (એન.બી.એ.જી.આર.) સાથે બેઠક
એન.બી.એ.જી.આર. જે ભારતીય ગૌવંશનું આઇડેન્ટીફીકેશન કરી તેનું રજીસ્ટ્રેશન કરી તેનો રેકોર્ડ જાળવાનું કામ કરે છે તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજી શ્રેષ્ઠ બુલ અને દૂધાળી ગાયોને શોધવાનું કામ પણ કરે છે. અત્યાર સુધીમાં તેમણે ૩૨ ભારતીય પ્રજાતીની ગાયો પર સંશોધન કરેલ છે અને વધુને વધુ પ્રજાતીને આવરવા પ્રયત્નશીલ છે.

નૂરમહલ ખાતે દિવ્ય જ્યોતી જાગૃતી સંસ્થાનના શ્રેષ્ઠ બ્રીડીંગ સેન્ટરની મુલાકાત
જલંધર પાસે નૂરમહલ ખાતે પૂ. આશુતોશજી માહરાજ પ્રેરીત દિવ્ય જ્યોતી જાગૃતી સંસ્થાનના પૂ. સ્વામી ચીન્મયાનંદજી દ્વારા ગીર, સહીવાલ, થરપારકર ગાયોનું શ્રેષ્ઠ બ્રીડીંગ સેન્ટર ધરાવે છે. ડો. કથીરિયા અને ડેલીગેશનના સભ્યોએ મુલાકાત બાદ, તેમની કામગીરીની ખૂબ સરાહના કરેલ. તેમજ તેમને શ્રેષ્ઠ એ.આઇ. સેન્ટર ઉભુ કરવા સુચન કરેલ. સમગ્ર કેમ્પસમાં સજીવ ખેતીના પ્રયોગો નીહાળ્યા સાથે પંચગવ્ય અને આયુર્વેદ ફાર્મસીની પણ મુલાકાત લીધી.

ગોવિંદ ગૌધામ ગૌશાળા અને હોર્ટીક્લચર ફાર્મની મુલાકાત
લુધિયાણા અને ગઢશકર ખાતે શ્રી કૃષ્ણાનંદ્જી મહારાજ પ્રેરીત ગોવિંદ ગૌધામ ગૌશાળાની મુલાકાત કરી ગૌસેવાકીય પ્રવૃતીની માહિતી મેળવેલ હતી. તદઉપરાંત, હરિયાણા ખાતેના હોર્ટીક્લચર ફાર્મની અને પ્રાઇવેટ બ્રીડ્રરો દ્વારા ચલાવામાં આવતી અદ્યતન ગૌશાળાઓની મુલાકાત લીધેલ.

એન.આર.આઇ. ઉદ્યોગપતી દ્વારા આખા ગામને મફત બાયોગેસ પુરો પડાય છે
પંજાબના રોપડ જીલ્લાના બહાદુરપૂર ગામમાં એન.આર.આઇ. ઉદ્યોગપતી સરદાર ગગનદિપસીંગ દ્વારા પોતાની ગૌશાળામાં ગાયોના ગોબરમાંથી ૧૨૫ એમ.ટી. બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, આ બાયો ગેસ આખા ગામને ઘરે-ઘરે નિ:શુલ્ક વિતરણ કરી આપવામાં આવે છે. ડો. કથીરિયા અને ડેલીગેશનના સભ્યોએ આ નવતર પ્રયોગને ખુબ વખાણ્યો હતો, અને આ અનુકરણીય પગલાને ગુજરાતમાં અનુસરવા વિચારણા હેઠળ સામેલ કરેલ.

પંજાબ કેસરી અખબારની મુલાકાત
જલંધરમાં પંજાબના જાણીતા અખબાર પંજાબ કેસરીના મેનેજીંગ એડીટર શ્રી અવિનાશ કુમારના આમંત્રણથી ડો. કથીરિયા તેમજ પૂ. સ્વામી સચ્ચીદાનંદજી અને ડેલીગેશન અખબારની મુલાકાત કરી, તેમની આ પંજાબ મુલાકાત અને ગૌસેવાના ગુજરાત મોડેલ અને ગુજરાતના મીડીયા તરફથી ગૌસેવાની પ્રવૃતીઓને અપાતા મહત્વ અને તેના લીધે સમાજમાં આવેલ જાગૃતી વિશે તેમજ પંજાબના મીડીયા દ્વારા દેશી ગૌવંશ માટે શુ કરી શકાય તે માટે ચર્ચા કરેલ.


પંજાબ તથા હરિયાણાના મુખ્યમંત્રી અને ગવર્નર સાથે મુલાકાત
પંજાબના મુખ્યમંત્રી સરદાર પ્રકાશસીંગ બાદલની મુલાકાત દરમ્યાન તેમણે ડો. કથીરિયાને જણાવ્યૂ હતુ કે તેઓએ ગીર અને સહિવાલ ગાયો તેમના ફાર્મ પર રાખી છે અને તેઓ ગૌભક્ત છે. આ ગૌપ્રેમ અને ગૌભક્તી બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન આખા પંજાબમાં ખેડુતો ઘરે-ઘરે ગાયો રાખે તેવી યોજનાઓ બનાવા સુચનો કર્યા હતા. તેમને મીલ્ટ્રી ડેરી ફાર્મ અને નુરમહલ જેવી એન.જી.ઓ. સાથે એમ.ઓ.યુ. કરી શ્રેષ્ઠ બુલ મધર ફાર્મ તૈયાર કરવા સુચન કરેલ. વિશેષ તેમને ગૌસેવાના વિવિધ પાસાઓને શ્રેષ્ઠ રીતે ગુજરાત મોડેલની જેમ સમગ્ર પંજાબમાં વિસ્તારી શકાય તે અંગે જણાવેલ. જે બાબત તેઓને ખુબ પસંદ પડતા તેઓએ તુરંત તેમના અધિકારીઓ અને ગૌવૈજ્ઞાનીકોનુ પ્રતિનિધી મંડળ બનાવી, તેમની સાથે બેઠકનુ આયોજન કરી એકશન પ્લાન બનાવા જણાવ્યું હતુ.
તેવીજ રીતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટટર અને કૃષિમંત્રી ઓમપ્રકાશ ધણખણ સાથે મુલાકાત કરી હરિયાણામાં શ્રેષ્ઠ ગૌરક્ષા કાનુન પસાર કરવા માટે ડો. કથીરિયાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગૌસેવાની વિવિધ યોજનાઓ અન્ય રાજયોમાં ફેલાવિ શકાય અને હરિયાણાની દેશી નસલની ગાયો જેમકે હરીયાણી, મેવાતી, સાહીવાલ, થરપાકરને વધુમાં વધુ વિસ્તારી શકાય એ માટે સઘન પ્રયત્નો કરવા ચર્ચા-વિચારણા થઇ હતી. પંજાબના મુખ્યમંત્રીને મળનાર પ્રતિનિધીમંડળ હરિયાણામાં પણ એજ રીતે મુખ્યમંત્રીને મળીને ગૌસેવાના વિવિધ પાસાઓનું આદાન-પ્રદાન કરશે.
પંજાબ-હરિયાણાના ગવર્નર પ્રો. કપ્તાનસીંગ સોલાની સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને બન્ને રાજ્યોના ગૌસેવાના પ્રયાસો અને ગૌસંવર્ધનની માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતુ. તેમજ ગવર્નરશ્રીએ ગુજરાતની ટીમની પ્રવૃતીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. પંજાબ વિધાનસભાના અધ્યક્ષ અટવાલજી સાથે મુલાકાત સમયે પંજાબના કૃષિમંત્રી ટોટાસીંગ અને શ્રીમણી ગુરુદ્વારા પ્રબંધક કમીટીના બીબી જાગીર કૌર પણ ઉપસ્થીત રહ્યા હતા, જ્યાં ગૌસંવર્ધન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અભ્યાસ પ્રવાસની ફલશ્રુતી

આ અભ્યાસ ટુર દરમ્યાન મેળવેલ જીનેટીક્સ ડેટા, ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ફોર લાઇવસ્ટોક જીનેટીક એન્ડ જીનોમીક્સ માટે ઉપયોગમાં આવશે. હરિયાણા સરકારની નવી યોજનાઓ છે જે ગુજરાતમાં અમલ કરી શકાય છે. જ્યારે પંજાબમાં એ.પી.એમ.સી ની આવક પર સેશ નાખવામાં આવેલ છે, જે જીલ્લાના કલેકટર દ્વારા સીધ્ધો ગૌસેવાની પ્રવૃતી માટે ઉપયોગમામ લેવામાં આવશે, જે અનુકરણ કરવા લાયક છે. સરકાર તરફથી દેશી જાતની ગાય ખરીદવા ૫૦ ટકાસબસીડી આપવામાં આવે છે. તેમજ લાઇવસ્ટોક ઇન્સ્પેકટર ગામડે ગામડે નીમણુક પામ્યા છે. બનેં રાજ્યોમા ગુજરાત જેવીજ સજાગતા છે અને સરકાર દેશી ગાયો પ્રત્યે સજાગ અને કટીબ્ધ છે, જે ઘણી સરાહનીય બાબત છે. 


Wednesday 24 June 2015

ગૌસેવા બોર્ડના અધ્યક્ષ ડો. કથીરિયાની રાહબારી હેઠળ દેશનાં નામાંકીત ગૌતજજ્ઞોનુ ડેલીગેશન ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારીત કૃષિના અભ્યાસ અર્થે પંજાબ અને હરિયાણા જવા રવાના


ડેલીગેશનમાં દેશનાં નામાંકીત ગૌવૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, એનીમલ વેલફેર બોર્ડના સભ્યો, અન્ય રાજ્યોના ગૌસેવાના ભુતપૂર્વ અધ્યક્ષો, વિષય નિષ્ણાતો, અને ગૌપ્રેમીઓનો સમાવેશ

દેશમાં ગૌ ક્રાંતિની લહેર ઉઠી છે તે સંદર્ભે ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાની રાહબારી હેઠળ આખા દેશમાંથી નામાંકીત ગૌ તજજ્ઞોનુ એક ડેલીગેશન તા. ૨૨ થી ૨૬ જુન દરમ્યાન ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારીત કૃષિ જેવા વિષયોના અભ્યાસ અર્થે પંજાબ અને હરિયાણા રાજ્યની મુલાકાતે જવા રવાના થયેલ છે.

આ અંગે વધુ વિગત આપતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતુ કે, આજના સમયની કડવી વાસ્તવીકતા એછે કે યુવા પેઢી ગૌસંવર્ધન, ગૌપાલન અને ગૌ આધારીત કૃષિ જેવા વ્યવસાયોથી દૂર થઇ રહી છે. જો યુવા ખેડુતો અને મહીલા મંડળોને આ તરફ વાળવા હશે તો, આર્થીક રીતે નભી શકે અને સ્થીરતા આપે તેવું વૈજ્ઞાનિક તેમજ ઓછી ખર્ચાળ તકનીક વાળું માળખુ પુરૂ પાડવાની તાતી જરૂર છે. આમ કરવાથી ગૌસંવર્ધન, ગૌપાલન અને ગૌ આધારીત કૃષિ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ યુવા સાહસીકો બાહર લાવી શકાશે.


આ સંદર્ભે પંજાબ તથા હરિયાણાની સંશોધન સંસ્થાઓના આમંત્રણથી એક સ્ટડી ટુર (અભ્યાસ પ્રવાસ) આયોજનના ભાગ રૂપે દેશભરમાંથી નામાંકીત ગૌ તજજ્ઞોનુ એક ડેલીગેશન આ રાજ્યોની મુલાકાતે જવા રવાના થયેલ છે. જેમાં દેશનાં નામાંકીત ગૌવૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, એનીમલ વેલફેર બોર્ડના સભ્યો, અન્ય રાજ્યોના ગૌસેવાના ભુતપૂર્વ અધ્યક્ષો, વિષય નિષ્ણાતો, અને ગૌપ્રેમીઓ, ડો. કથીરિયાની રાહબારી હેઠળ આ પ્રવાસમાં જોડાયેલ છે. આ ડેલીગેશન સાંપ્રત સમસ્યાના ઉકેલ અર્થે સંશોધન અને વિકાસ બાબત ચર્ચા-વિચારણા કરશે. આ સંદર્ભે ડેલીગેશન પંજાબ તથા હરિયાણાના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રીઓ, મીલીટ્રી ફાર્મના સર્વોચ્ચ નિયામક, દિવ્યજ્યોતી જાર્ગુતી સંસ્થાનના સ્વામી શ્રી ચીન્મય આનંદજી, નેશનલ ડેરી રીસર્ચ ઇન્સટીટ્યુટ - કર્નાલના નિયામક વગેરે લોકોને મળીને  વિષય અનુરૂપ વિચાર-વિમર્શ કરશે.


Sunday 21 June 2015

વિશ્વ યોગ દિન નિમીતે અમરેલી જીલ્લા ખાતે ગુજરાત સરકાર તરફથી યોગાભ્યાસનું સુકાન સંભાળતા ગૌસેવા બોર્ડના અધ્યક્ષ ડો. કથીરિયા.


ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ યોગ દિન નીમીતે સમગ્ર રાજ્યમાં વિશ્વવિક્રમ સ્થાપવા દરેક જિલ્લા મથકોએ યોગ શિબીર અને યોગાભ્યાસનું આયોજન કરવામાં આવેલ. આ આયોજનના ભાગ રૂપે અમરેલી જીલ્લામાં સરકાર વતી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને નીયુક્ત કરવામાં આવેલ.

કાર્યક્રમમાં ઉપસ્થીત નગરજનોને સંબોધતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતું કે, “ભારતીય સાંસ્કૃતીના પૂરસ્કર્તા પરમ આદર્ણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગવિદ્યાનું સમગ્ર વિશ્વને પૂન: સ્મરણ કરાવી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે પ્રસ્થાપિત કરાવા બદલ ગુજરાતના પનોતા પુત્રને લાખ લાખ અભિનંદન.

શારિરીક, માનસિક, આધ્યાત્મીક સુખ, શાંતી અને સ્વસ્થતા માટે યોગવિદ્યા સર્વકાલિન, સર્વભૌમિક, સર્વદેશીય, સર્વક્ષેત્રીય અને સર્વલૌકિક હોય, સમગ્ર વિશ્વને એકતા, વિશ્વ બંધુતા, સામાજીક સમરસતા અને વિશ્વ શાંતી અર્થે જોડનારી સાધના છે.

યોગવિદ્યા માનવમાત્રમાં ઉર્જાનો સંચાર કરે છે. તન-મનનો તનાવ દુર કરનારી છે. એકાગ્રતા દ્વારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપનારી છે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધનારી છે. ચાલો આપણે સૌ આજથી જ યોગવિ્દ્યાને આપણી દિનચર્યા અને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવી સ્વસ્થ નાગરીક, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણમાં સહભાગી બનીએ.”

આ કાર્યક્રમમાં અમરેલી સાંસદ મનજીભાઇ કાછડીયા, પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઇ બાધાણી, ગાંધિનગરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના સી.ઇ.ઓ. શ્રીમતી અંજુ શર્મા, ધારાસભ્યશ્રીઓ, કલેકટર, ડી.ડી.ઓ., ડી.એસ.પી, ડી.આર.ડી.ઓ ડાયરેકટર, તેમજ ભાજપા, સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, વિ.એચ.પી, વિદ્યાભારતી, પતાંજલી યોગ પીઠ, ના હોદેદારો, કાર્યકરો, વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, યુ્વાનો અને શહેરીજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થીત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 


Wednesday 17 June 2015

Hon. Chief Minister Smt. Anadiben felicitated with ‘Love for Cow’ memento


Swami Swayambhagwandas Sadhu and Riddhesh Jagirdar of Hyderabad based Prani Kalyan Mandal are on a special visit to Gauseva and Gauchar Vikas Board (GGVB) –Gujarat on Wednesday. During their visit, they along with GGVB Chairman, Dr. Vallabhbhai Kathiria and Vice-Chairman, Acharya Chaitanya Shambhu Maharaj meet Hon. Chief Minister of Gujarat Smt. Anandiben Patel.

Swami Swayambhagwandas Sadhu congratulated Gujarat CM and her team for considering subjects like Environment, Cows etc. in syllabus of Gujarat School Textbooks. They Congratulated the State Government for their concern about cattle.

In this regards, they felicitated Hon. Chief Minister Smt. Anandiben with a special memento called ‘Love for Cow’ at the Chief Minister’s office in Gandhinagar on Wednesday.


Sunday 14 June 2015

મુંબઈના કેશવ સૃષ્ટી મુકામે ભાજપા સાંસદોના પી.એ. – પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજના’ અંતર્ગત યોજાયેલ કાર્યશાળામાં આદર્શ ગામમાં ગૌસેવાના યોગદાન વિશે માર્ગદર્શન આપતા ડો. કથીરિયા



મુંબઈના કેશવ સૃષ્ટી મુકામે ભાજપા સાંસદોના પી.એ. – પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજના’ અંતર્ગત યોજાયેલ કાર્યશાળામાં આદર્શ ગામમાં ગૌસેવાના યોગદાન વિશે માર્ગદર્શન આપતા ડો. કથીરિયા

તાજેતરમાં મુંબઈના થાણે ભાયંદર ખાતે કેશવ સૃષ્ટીના શ્રી.રામભાઉ માહલગી પ્રબોધિની સંસ્થા દ્વારા ભાજપના સાંસદોના પી.એ.-પી.એસ. માટે ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંતર્ગત ત્રીદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા વક્તા તરીકે ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને આમંત્રણ આપવામા આવેલ હતુ.

આ અંગે વિગત આપતા ડો. કથીરિયાએ જણાવ્યુ હતુ કે, ભારતના ૧૭ રાજ્યોમાંથી ૭૦ જેટલા સાંસદોના અંગત મદ્દદનિશો આ ત્રીદિવસીય કાર્યશાળામાં ઉપસ્થીત રહ્યા હતા. કાર્યશાળાનો મુખ્ય વિષય ભારત સરકારની ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંગે તેમને માહીતગાર કરી, આ યોજના સંદર્ભે તેમને પ્રશિક્ષણ આપવાનો હતો.

ડો. કથીરિયાએ તેમના વક્તવ્યમાં સાંસદો તેમના વિસ્તારમાં જે આદર્શ ગામને રસ્તા, ગટર, પાણી વગેરે સુવિધાયુક્ત બનાવે છે, તેમ દરેક ગામમાં, ઘરે ઘરે ગાય, ગામે ગામ ગૌચર નિર્માણ, ગૌશાળા, પંચગવ્ય મહિલા મંડળીઓ, પંચગવ્ય ઉત્પાદનો, ગૌ આધારીત સજીવ ખેતી વગેરે ગૌ સંલગ્ન વિષયોને ગામના વિકાસ સાથે જોડવા સુંદર પીપીટી પ્રેન્ટેશન રજુ કર્યું હતુ. ગૌપાલન, ગૌસંવર્ધન, ગૌઆધારીત – સુખી, સમૃધ્ધ, સ્વસ્થ, સુરક્ષીત, શિક્ષીત, સ્વાવલંબી, સ્વાભિમાની, સમરસ અને સંસ્કારી સમાજ રચનાના પંડિત દીનદયાલજીના એકાત્મ માનવવાદના મોડેલ અનુસાર વ્યક્તિથી સમષ્ટિ અને છેક દરેક પરેષ્ટિ સુધિના વિષ્વકલ્યાણની વિભાવના સાકાર કઇ રીતે કરી શકાય, તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન ઉદાહરણ દ્વારા ડો. કથીરિયાએ આપ્યું હતું.


કાર્યશાળા બાદ પોતાના પ્રતીભાવ આપતા સહભાગીઓએ જણાવ્યુ હતુકે, તેમના માટે આ એક ખુબજ પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો, જે ગ્રામ વિકાસની રૂઢિગત પ્રણાલીથી એક્દમ અલગ અને નાવિન્યસભર લાગ્યો. તેઓએ ખાત્રી આપીકે તેઓ જ્યારે  ‘સાંસદ આદર્શ ગામ યોજનાઅંગે ચર્ચા થશે ત્યારે ગૌ આધારીત સમગ્ર વિકાસના મોડલ અંગે તેમના પદાધિકારીઓ અને અધિકારીઓને સમજાવી, આદર્શ ગામમાં અને તેમના મત ક્ષેત્રમાં ભારતીય ગૌવંશને પ્રથમ અગ્રતા અપાય તે અંગે તેઓ પ્રયત્ન કરશે.

Sunday 24 May 2015

On special invitation of friend, Dr. Kathiria remain present at Loti Utsav and Satsang Sabha at Kotda Sangani

A friend Ashok Thummar of Kotda Sangani invited Dr. Vallabhbhai Kathiria, Chairman, Gauseva and Gauchar Vikas Board to attend a ‘Loti Utsav and Satsang Sabha’ gathering of Swaminarayan saints and religious leaders at Kotda Sangani.


Swaminarayan saints from Junagadh, Gadhda, Vadtal, Sardhar, Bagasra, Gondal and Ahmedabad remain present at the occasion. Dr. Kathiria takes this opportunity and spoke about the virtues and benefits of the indigenous cow breed and asked all the religious leader present their to start a Gaushala and Gausadan at their temples. He offered help and financial assistance through Gauseva and Gauchar Vikas Board’s various schemes for this noble cause.