Monday, 30 November 2015
Friday, 9 October 2015
ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન અપાયુ
ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા ‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન અપાયુ
છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય-
દુર્ગ દ્વારા તાજેતરમાં ‘છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન: સંભાવનાઓ
અને પડકારો’ વિષય પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનુ આયોજન રાયપુર ખાતે થયું હતુ,
જેમા છત્ત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી રમણ સિંહ, કૃષી મંત્રી શ્રી બ્રુજમોહન અગ્રવાલ
સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહયા હતા,
જેમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા દ્વારા
‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર તજજ્ઞોને માર્ગદર્શન આપવામા આવેલ.
આ કાર્યશાળાની ફળશ્રુતી
રૂપે કાર્યશાળાના અંતમાં ડો. કથીરિયા તેમજ તમામ ગૌવૈજ્ઞાનીકોની બેઠકમા એકશન પ્લાન બનાવામાં
આવેલ જેમા છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌસંવર્ધન અને ગૌરક્ષાને સાચી દિશા મળે અને ગુજરાતની
માફક ગૌસંવર્ધન માટે રાજ્ય સરકાર, સ્વૈચ્છીક સંસ્થાઓ, યુનિવર્સીટીઓ, પાંજરાપોળો, ગૌશાળાઓ,
ગૌપ્રેમીઓ, ગૌપાલકો, અને ગૌસંવર્ધકો સાથે મળી દેશી ગૌવંશના સંવર્ધન માટે ખભે ખભો મીલાવી
આગળ વધે તેવો નીર્ધાર કરવામા આવેલ. આગામી દિવસોમા, છત્ત્તીસગઢમાં બુલ મધર ફાર્મ, એ.આઇ.
સેન્ટર્સ, પંચગવ્ય ઉત્પાદન ટ્રેનીંગ અને મોડેલ ગૌસંવર્ધન કેન્દ્રો સ્થપાશે.
Tuesday, 22 September 2015
છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય આયોજીત રાષ્ટ્રીય કાર્યશાળામાં ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન વિષય પર દેશભરમાંથી આવેલા તજજ્ઞોને ડો. વલ્લભભાઇ કથીરિયા માર્ગદર્શીત કરશે
છત્ત્તીસગઢના મુખ્યમંત્રી, કૃષી મંત્રી સહીત
દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત રહેશે
છત્ત્તીસગઢ કામધેનુ વિશ્વવિધાલય- દુર્ગ દ્વારા ‘છત્ત્તીસગઢ
રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન: સંભાવનાઓ અને પડકારો’ વિષય પર તા. ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર
એમ ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનુ આયોજન રાયપુર ખાતે થયું છે. આ રાષ્ટ્રીય કાર્યશાળામાં છત્ત્તીસગઢના મુખ્યમંત્રી,
કૃષી મંત્રી સહીત દેશભરમાંથી નામાંકીત ગૌતજજ્ઞો, ગૌવૈજ્ઞાનીકો અને ગૌપ્રેમીઓ ઉપસ્થીત
રહેશે, જેમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાને
‘ગૌશાળા સંરક્ષણ અને સંવર્ધન’ વિષય પર દેશભરમાંથી આવેલા તજજ્ઞોને માર્ગદર્શીત કરવા
માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે.
આ કાર્યશાળાના આયોજનનો મુખ્ય હેતુ, છત્ત્તીસગઢ રાજ્યમાં ગૌસંવર્ધન
અને ગૌરક્ષાને સાચી દિશા મળે અને ગુજરાત મોડેલની જેમ ગૌસંવર્ધન માટે રાજ્ય સરકાર, સ્વૈચ્છીક
સંસ્થાઓ, યુનિવર્સીટીઓ, પાંજરાપોળો, ગૌશાળાઓ, ગૌપ્રેમીઓ, ગૌપાલકો, અને ગૌસંવર્ધકો સાથે
મળી દેશી ગૌવંશના સંવર્ધન માટે ખભે ખભો મીલાવી આગળ વધે તેવો છે.
આ માટે વિવિધ ક્ષેત્રના ગૌસેવા સાથે જોડાયેલા તજજ્ઞો, જાણકારો
અને અનુભવિઓને ખાસ માર્ગદર્શન આપવા અહિં બોલાવામાં આવ્યા છે. આ કાર્યશાળા છત્ત્તીસગઢના
મુખ્યમંત્રી ડો. રમણ સિંહ અને કૃષિમંત્રી શ્રી બ્રુજમોહન અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાશે.
જેમાં ત્રણ દિવસ દરમ્યાન, ૧૪ અલગ-અલગ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે.
Tuesday, 11 August 2015
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત દ્વારા "ગૌશાળા - પાંજરાપોળ સ્વાવલંબન કાર્યશાળા" નું ગાંધીનગર ખાતે આયોજન
v ગૌસેવા અને ગૌચર વિકાસ
બોર્ડ દ્વારા 16 ઓગસ્ટે કડી સર્વ વિદ્યાલય, સેક્ટર - 23, ગાંધીનગર મુકામે
મહામહીમ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીના વરદ્ હસ્તે ઉદ્ઘાટન
v પાંજરાપોળ - ગૌશાળા
મેનેજમેન્ટ, ગોપાલન, ગૌ આધારીત કૃષિ, બાયોગેસ, ઇલેક્ટ્રીસીટી, બાયોફર્ટીલાઇઝર અને
ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા સ્વાવલંબન જેવા વિષયો પર દેશભરના તજજ્ઞો અને
ગોવૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના નેજા હેઠળ, શ્રી
ગુજરાત રાજ્ય ગૌશાળા - પાંજરાપોળ સંઘ - ગાંધીનગર, સમસ્ત મહાજન - મુંબઇ અને ઇન્દુલાલ યાજ્ઞિક
ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક પોલીસી અને સ્ટ્રેટેજીસ - આણંદના સંયુક્ત ઉપક્રમે ગૌશાળા -
પાંજરાપોળ વ્યવસ્થાપક મંડળો, ગોપાલકો, માલધારીઓ તેમજ ગૌસેવા, ગોપાલન,
ગૌસંવર્ધન અને પંચગવ્ય ઉત્પાદન વગેરેમાં રસ ધરાવતા સૌ માટે એક દિવસીય વર્કશોપનું
આયોજન આગામી ૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ રવિવારના રોજ ગાંધીનગરના સેક્ટર - 23, સ્થિત
કડી સર્વ વિદ્યાલયના કેમ્પસમાં નાથીબા કોમર્સ કોલેજ - "ખીમજી જેસંગ હોલ"માં
કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ
ડો. વલ્લ્ભભાઇ
કથીરિયાએ જણાવ્યુ હતુ કે, શ્રેષ્ઠ ગૌપાલન દ્વારા વ્યક્તિ, કુટુંબ, ટ્રસ્ટ
- ધર્માદા સંસ્થાઓ સંચાલિત ગૌશાળા - પાંજરાપોળો સ્વનિર્ભર બને, આવકનું
સાધન વધે અને આર્થિક ઉન્નત્તિ સાધે તેવા ઉદ્દેશ્યથી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિષયોના તજજ્ઞોના
વક્તવ્યોનું જુદા જુદા સત્રો સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમીનારનું ઉદ્ઘાટન ગુજરાત
રાજ્યના વંદનીય રાજ્યપાલ મહામહીમ શ્રી ઓમ પ્રકાશ કોહલીજીના વરદ્ હસ્તે ૧૬ ઓગસ્ટના રોજ સવારે ૯:30 કલાકે ગૌપૂજન અને દીપ પ્રાગટ્ય દ્વારા થશે.
બાદમાં દેશભરમાંથી આમંત્રિત તજજ્ઞો દ્વારા ગૌશાળા - પાંજરાપોળમાં ટેક્નોલોજીનો
ઉપયોગ, શ્રેષ્ઠ પારદર્શક વહીવટ,
ગૌશાળાની સ્વચ્છતા, વિવિધ વિભાગો, ગૌસંવર્ધન, ગૌચર વિકાસ, એગ્રો ફોરેસ્ટ્રી, પંચગવ્ય ઉત્પાદન, બાયો પેસ્ટીસાઇડ્સ અને બાયોફર્ટીલાઇઝર, બાયોગેસ,
ઇલેક્ટ્રીસીટી વગેરે વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કરશે અને ગૌશાળા - પાંજરાપોળોના
પ્રાણપ્રશ્નોની ચર્ચા થશે.
આ સેમીનારમાં ભારત સરકારના કૃષિ
રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ગૃહરાજ્યમંત્રીશ્રી હરિભાઇ ચૌધરી, ગુજરાત
રાજ્યના પશુપાલન અને કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા,
ગૌસંવર્ધન મંત્રીશ્રી તારાચંદભાઇ છેડા, જીલ્લાપંચાયત પ્રમુખ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત
રહી માર્ગદર્શન આપશે.
આ સેમીનારને સફળ બનાવવા માટે
બોર્ડના અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરિયા, ઉપાધ્યક્ષશ્રી ચૈતન્ય મહારાજ, આચાર્ય
ઘનશ્યામજી, શ્રી સત્યજીત ખાચર, શ્રી
ગોપાલ સુતરીયા, ડો. કિશોર પટેલ, શ્રી કે. પી. શાસ્ત્રી સ્વામી, શ્રી
બી. કે. આહિર, શ્રી જયંતિભાઇ દોશી, ડો.
જે.વી. નાડોધા, ડો. એલ. આર. વોરા, શ્રી મનોજ શુક્લ, ડો. બી. કે. પટેલ, ડો. દિનેશ બ્રહ્મભટ્ટ, શ્રી
વિનુભાઇ કંટારીયા વગેરે મહાનુભાવો સહિત અધિકારીઓની ટીમ સક્રીય રીતે કાર્યરત છે.
આ સેમીનારમાં ગૌસેવામાં રસ ધરાવતા
અને સ્વનિર્ભર બનવા માગતા સૌ કોઇને ઉપસ્થિત રહેવા અનુરોધ છે. વિશેષ માહિતિ માટે
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વેબ સાઇટ અને ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૩૨૭/૨૮/૨૯ પર સંપર્ક
કરી
નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Gauseva and Gauchar Vikas Board organising Workshop on Self-reliance of Gaushala & Panjarapol
Under the leadership of Gauseva and Gauchar Vikas Board - Gujarat, Shree Gujarat Rajya Gaushala-Panjarapol Sangh - Gandhinagar, Samast Mahajan Mumbai and Indulal Yagnik Institute of Public Policy and Strategies-Anand are organising one day workshop for Gaushala – Panjrapol administrators, Cow lovers, Maldharies, and interested persons in topics like Gauseva, Indigenous cow breeding, and Panchgavys produce to make them self reliant & self sustainable. The Workshop is held on 16th August 2015, Sunday at `Khimji Jesang Hall’ Nathiba Commerce College ,Kadi Sarva Vidyalaya Campus, Sector-23 Gandhinagar Gujarat.The workshop will be inaugurated by Honorable Governor of Gujarat Shree Om Prakash Kohli, by lightening the lamp and Gau Pooja. In this seminar chief guests will be Shri Mohanbhai Kundariya - Union Minister of State for Agriculture, Shri Babubhai Bokhiriya - Agricultural and Animal Husbandry Minister of Gujrat, Shri Tarachanbhai Cheda-Gausavardhan Minister of Gujarat.According to Chairman of Gauseva and Gauchar Vikas Board – Gujarat, Dr. Vallabhbhai Kathiria, experts from various sectors will deliver lectures on how to make Gaushalas self-reliant through Gaupalan as well as with the use of new technologies, best & transparent administration& management of gaushala, pure breeding of indigenous cows, gauchar development, agro forestry, Panchgavya products, bio-pesticides, bio fertilizers, bio-gas and bio-electricity production .To make this workshop successful and memorable, along with Dr. Vallabhbhai Kathiria Chairman of Gauseva and Gauchar Vikas Board- Gujarat, Shree Chaitanya Maharaj, Shri Aacharya Ghanshyamji, Shri Gopal Sutariya, Shri Satyajit Khachar , Dr. Kishor Patel, Shri K.P.Shastri Swami, Shri B.K.Aahir, Shri Jayantibhai Doshi, Dr. J.V. Nadhoda, Dr. L.R.Vora, Shri Manoj Sukla, Dr. Dinesh Bramhbhatt, and Shri Vinubhai Kantaria & Gau Seva Team is working hard .Interested Gausevak,Gopalak Trustees & Managers of Gaushala- Panjarapoles can register themselves on websites of Gauseva and Gauchar Vikas Board, Gujarat or on GGVB office Phone no. 079-23256327/28/29. The registration is free.
Saturday, 8 August 2015
Dr. Kathiria & his team visited flood affected Banaskatha and Patan districts
In recent heavy rains
and floods several parts of Gujarat have impacted badly. Banaskantha & Patan
districts of the State were terribly affected by the floods. To help, assess
and review the loss of livestock and impact of floods, a team lead by the Chairman
of Gujarat Gauseva and Gauchar Vikas board, Dr. Vallabh Kathiria has visited
the badly affected Sidhhapur, Palanpur, Disa, Diyodar, Tetoda, Bhabhar and Suigam
areas of North Gujarat. The team has visited on ground zero to help the people.
Due to this excessive
rainfall in North Gujarat, livestock in Panjrapols, Gaushalas and privately
owned were suffering the most. A huge number of cattle were drawn and died in the
floods. In Tetoda gaushala, sudden rain destroyed everything. In Gaushalas and
Panjrapols, due to water accumulation, entire stock of fodder gets wet and
ruined. At many places shades, godowns and compound walls were destroyed. Private
owners also suffered a huge loss of livestock. Still water is logged everywhere,
no vehicles are able to reach many areas.
According to Dr.
Kathiria, State Government did commendable relief work primarily. The work of the
road repairing, supply of water, electricity restoration and telephone
communication restoration work have been done immediately on priority bases.
Government machinery also made instant arrangements for food and fodder. Many voluntary
organizations and donors have also come forward to lend a helping hand. Relief
work has been carrying out on a war footing.
Dr. Kathiria visited
all these places along with concerned officers and shown sympathy to all the
villagers, gaushala administrations and maldharis and assured all possible help
to them. Dr. Kathiria also informed District Collectors, DDOs, Ministers and
Secretaries of concerned department about the prevailing situation and
suggested proper actions.
During this visit due
to submerged roads, Dr. Kathiria travelled on the tractor and in some places he
walked on water logged roads to meet the people and review the situation. During
this visit Dr. Kathiria was accompanied by District BJP VP Dr. Ganeshbhai Patel,
Shri Bhaskar Thakkar, GGV Board officials Dr. K.V.Patel, Dr. Nadogha and Rajkot
based Cow lover and patriot Shri Mansukh Chappia in this tour.
Dr. Kathiria has
prepared a detailed report about the ground realities and submitted to the
State Government. He also appealed in his report to give a relief package to cow
breeders, farmers, gaushala and panjrapols of this flood affected area.
બનાસકાંઠાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ડૉ. કથીરિયા
બનાસકાંઠાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
ડૉ. કથીરિયા
તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા - પાટણ વિસ્તારમાં અતિવૃષ્ટિ થતા
જાત મુલાકાત લઇ, લોકોને મદદરૂપ થવાના ભાવથી ગૌસેવા અને ગૌચર
વિકાસ બોર્ડના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઇ કથીરિયાએ તેમના અધિકારીઓ અને બનાસકાંઠા
ભાજપાના પદાધિકારીઓની સાથે સિધ્ધપુર,
પાલનપુર, ડીસા, દીયોદર, ટેટોડા, ભાભર
અને સૂઇગામ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અતિવૃષ્ટિ પછી તુરત જ ઉત્તર
ગુજરાતમાં ગૌશાળા - પાંજરાપોળો તથા માલિકીના પશુધનને ખૂબ જ હાનિ પહોંચી છે. પૂરમાં
અનેક ગાય - ભેંસ સહિતના પશુઓ તણાઇ ગયા છે અને મોતને ભેટ્યા છે. અચાનક અને એકાદ
જોરદાર વરસાદના કારણે ટેટોડા ગૌશાળામાં નદીના પૂરના પાણી ફરી વળતા સમગ્ર ગૌશાળા
ખેદાન - મેદાન થઇ ગઇ છે. ગૌશાળા - પાંજરાપોળોમાં પાણી ભરાઇ જતા ઘાસચારો બગડી ગયો
છે. શેડ, ગોડાઉન, દિવાલો
તૂટી જવા પામી છે. પ્રાઇવેટ પશુધનને પણ ખૂબ નુક્શાન થયું છે. હજુ પણ પાણી ભરાયેલા છે. વાહન વ્યવહાર ઠપ છે.
ડૉ. કથીરિયાના જણાવ્યા અનુસાર, સરકારે
તુરત રાહતના પગલા લઇ સૌ પ્રથમ રસ્તા રીપેરીંગ, પાણીની
સપ્લાઇ, વિજ કનેક્શન અને ફોન ચાલુ કરવાનું કાર્ય યુધ્ધના
ધોરણે કર્યું છે. સાથે સૂકો - લીલો ચારો અને ખાણ - દાણ
પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી છે. દાતાઓ અને સંસ્થાઓ પણ વ્હારે આવી છે. યુધ્ધના
ધોરણે રાહત કામગીરી ચાલી રહી છે.
ડૉ. કથીરિયાએ ઉપરોક્ત સ્થળોની મુલાકાત લઇ ગૌશાળા સંચાલકો, માલધારીઓ,
ગ્રામ્યજનોને અધિકારીઓ સાથે રહી હૈયાધારણ આપી, તુરત જ
કલેક્ટર, ડીડીઓ, સચિવશ્રીઓ
અને માનનીય મંત્રીશ્રીઓ સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી કરાવવા માહિતગાર કર્યા હતા.
આ સમગ્ર પ્રવાસ દરમ્યાન અનેક જગ્યાએ ડૉ. કથીરિયાએ ટ્રેક્ટર પર અને
ચાલીને લોકોની મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા ભાજપા ઉપપ્રમુખશ્રી ડૉ.
ગણેશભાઇ પટેલ, શ્રી ભાસ્કર ઠાકર તથા બોર્ડના અધિકારીશ્રીઓ ડૉ.
કિશોર પટેલ, ડૉ. નાડોધા અને રાજકોટના જીવદયા પ્રેમી પ્રખર
રાષ્ટ્રભક્ત શ્રી મનસુખભાઇ છાપીયા જોડાયા હતા.
ડૉ. કથીરિયાએ વિગતવાર અહેવાલ તૈયાર કરી સરકારમાં સુપ્રત કરી ગૌપાલકો, ખેડૂતો, ગૌશાળા
- પાંજરાપોળોને વિશેષ રાહત પેકેજ આપવા ભલામણ કરી હતી.
Subscribe to:
Posts (Atom)



